માણસ ના જીવનમાં સુખદુઃખ આવતા જ રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ તકલીફ ન આવે, પરંતુ આ શક્ય નથી. જો માણસ ના જીવનમાં ખુશીઓ છે તો આવનારા સમયમાં તેને મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.
જો અત્યારે મુશ્કેલી આવશે તો તમારા જીવનમાં પણ ખુશીઓ આવશે. તમે તમારા જીવન ની બધી જ તકલીફ માંથી મુક્તિ મેળવી શકતા નથી.
શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેની મદદ થી માણસ પોતાના જીવનની ઘણી તકલીફઓ દૂર કરી શકે છે. આમાંથી એક ગાયને રોટલી ખવડાવવી. તમે ગાય ને રોટલી ખવડાવો છો તો તેનાથી તમને એક નહીં પરંતુ બહુવિધ ફાયદા થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને ‘માતા’ માનવામાં આવે છે.
ગાયને પવિત્ર પ્રાણી તરીકે જોવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, ભારતીય ગાયને “માતા”નો હોદ્દો આપવામાં આવે છે. ગાયની અંદર 33 કરોડ પ્રકાર ના દેવતાઓ નિવાસ કરે છે . ગાયના દાનને મહાદાન કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જો ગાયની ચાકરી કરવામાં આવે તો સંતાન પ્રાપ્તિ ની મનોકામના પૂર્ણ થાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા ગાયને શું ખવડાવવું જોઈએ તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી કરીને આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.
એવું માનવામાં આવે છે કે જો રોટલી અને ગોળ મિક્ષ કરીને ગાય ને ખવડાવામાં આવે તો તે વ્યક્તિ બધી ખરાબ શક્તિઓ ના પ્રભાવથી બચે છે.
* જો તમે ગાયને ગોળ રોટલી ખવડાવો છો તો તેનાથી તમારા ખરાબ કામ સારા થાય છે. માનવામાં આવે છે કે જો બેઠેલી ગાય ને રોટલી અને સાથે ગોળ ખવડાવવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી હોય છે.
* એવું માનવામાં આવે છે કે જો ગાયને રોટલી ખવડાવવામાં આવે તો તેનાથી પરિવારના બાળકો અને આવનારી પેઢીઓમાં સમૃદ્ધિ આવે છે.
*તમે તમારા ઘરમાં સુખસમૃદ્ધિ મેળવવા માંગો છો તો તેના માટે તમે મંગળવારે ગાય ને રોટલી અને ગોળ ખવડાવો. આમ કરવાથી ઘરમાં સુખસમૃદ્ધિ આવે છે.
* જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારના બધા સભ્યો પોતપોતાના ક્ષેત્રમાં સતત સફળતા મેળવે તો આ માટે તમે નિયમિત રીતે ગાયને ખવડાવી શકો છો અને ગાયની સેવા કરી શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.